Thursday, December 20, 2012

દક્ષિણનું કાશીઃ હરિહરેશ્વર

Dec 14, 2012
ચાલો ફરવા
મ હારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલું હરિહરેશ્વર દેશનું મહત્ત્વનું પર્યટન સ્થળ ગણાય છે. હરિહરેશ્વરને દક્ષિણનું કાશી કહેવામાં આવે છે. હરિહરેશ્વર મહાદેવનું મંદિર અહીંનું મુખ્ય આકર્ષણ છે, તો દરિયાકિનારાની વિશેષતા પણ પ્રવાસીઓને અહીં ખેંચી લાવે છે.
* હરિહરેશ્વર પ્રકૃતિની ગોદમાં આવેલું સ્થળ છે. ખડકોથી ઘેરાયેલો વિસ્તાર મનમોહક છે.
* હરિહરેશ્વરનો બીચ ખૂબ લચીલો અને આકર્ષક હોવાથી પ્રવાસીઓ મંદિરનાં દર્શન કરવાની સાથોસાથ બીચનો આનંદ પણ માણી શકે છે.
* મંદિરનું નિર્માણ ૧૬મી સદીમાં થયાનું કહેવાય છે. રાયગઢ જિલ્લાના લોકો માટે આ મંદિર સદીઓથી આસ્થાનું પ્રતીક રહ્યું છે.
* આ સ્થળની બીજી એક ખાસિયત સ્વાદિષ્ટ ભોજન છે. જો અહીંની મુલાકાત શાકાહારી ભોજનની વિવિધતા માણ્યા વગરની રહે તો મુલાકાત અધૂરી ગણાય છે.
* મજાની વાત એ છે કે દરેક પ્રકારના પ્રવાસીઓને અહીં તેમના બજેટ પ્રમાણેની સુવિધા ઉપલબ્ધ થઈ જાય છે.
* મહારાષ્ટ્રના પાટનગર મુંબઈથી માત્ર ત્રણ કલાકમાં હરિહરેશ્વર પહોંચી શકાય છે.
* માણગામ સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. મુંબઈથી ઘણી ટ્રેન માણગામથી પસાર થતી હોવાથી પ્રવાસીઓને રેલવેની સુવિધા થોડા થોડા કલાકોમાં મળી રહે છે.
* પ્રકૃતિ અને દરિયો જેને વધુ આકર્ષતો હોય તેના માટે આ સ્થળની મુલાકાત એક યાદગાર સંભારણું બની રહે 

Tuesday, December 4, 2012

Swaminarayan Mandir - An Architectural Wonder in Toronto, Canada

Bochanwasi Gujrati Religeous Sect, after creating 8th wonder of
 the world in NOIDA, NOW Repeats Performance in
TORONTO, CANADA
 
The BAPS Shri Swaminarayan Mandir complex in Toronto has become
the focus of interest and wonder for local citizens and visitors to Toronto.
 
The Hindu temple is located at the intersection of Finch Ave. and
Highway 427 in Etobicoke, just northwest of Toronto, Ontario.
 
The 2nd largest Hindu temple outside India, this Mandir is a masterpiece of
intricate design and workmanship. The Mandir was constructed in a record
18 months. Built at a cost of $40 million raised by the Hindu communities worldwide,
without a penny of government money.
 
No steel was used in building this architectural and engineering marvel.
It’s all stone on stone; using 24,000 pieces of Turkish limestone and Italian marble.
The temple was constructed by 2,000 Indian craftsmen.
 
 







 
INTERIOR
 
 


 


Sunday, November 25, 2012

દેવઊઠી એકાદશી માહાત્મ્ય: ભગવાન વિષ્ણુને આ રીતે કરો પ્રસન્ન!

ઉજ્જૈન, તા. 24

હિન્દુ પ્રાચીન ધર્મગ્રંથો અનુસાર આજે દેવઊઠી એકાદશીનું પાવન પર્વ છે કહેવાય છે કે આજના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ શેષ સૈયા પરથી ઊઠે છે. કારતક સુદ એકાદશી એટલે દેવઊઠી એકાદશી આજે તુલસી વિવાહ પછી લગ્નસરાની સિઝન શરૂ થઈ જાય છે. ભગવાનને આ રીતે જગાડો-

* વ્રત કરનાર સ્ત્રીઓએ આ દિવસે સવારે સ્નાનાદિ પતાવીને આંગણામાં ચોક બનાવો.
* ભગવાન વિષ્ણુના ચરણોને કળાત્મક રૂપથી અંકિત કરો.
*તડકો આવે ત્યારે ભગવાન શ્રીના ચરણોને ઢાંકી દેવા.
* ઘંટ, શંખ, નગારા વગાડો.
વિવિધ પ્રકારની રમતો, લીલા અને નૃત્યની સાથે નીચે આપેલા મંત્રનું ઉચ્ચારણ કરીને ભગવાનને જગાડો: -

Devutni Ekadashi,

'उत्तिष्ठ गोविन्द त्यज निद्रां जगत्पतये।
त्वयि सुप्ते जगन्नाथ जगत्‌ सुप्तं भवेदिदम्‌॥'
'उत्थिते चेष्टते सर्वमुत्तिष्ठोत्तिष्ठ माधव।
गतामेघा वियच्चैव निर्मलं निर्मलादिशः॥'
'शारदानि च पुष्पाणि गृहाण मम केशव।'


આ રીતે કરો વ્રત-પૂજન-
 * પૂજન માટે ભગવાનનું મંદિર અથવા સિંહાસનને જુદીજુદી રીતે પત્ર, ફૂલ, પુષ્પ અને વંદનવાર વગેરેથી શણગારો.

*આગણાંમાં દેવોત્થાનની છબી લગાવવી, ત્યારબાદ ફળ, પકવાન, શેરડી વગેરે ચઢાવીને ઢાકી દેવું તથા દીવો પ્રગટાવવો.
* વિષ્ણુ પૂજા કે પંચદેવ પૂજા કરીને દીવો, કપૂર વગેરેથી આરતી કરવી.
* બાદમાં આ મંત્ર વડે પુષ્પાંજલિ અર્પણ કરો.

'यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन।
तेह नाकं महिमानः सचन्त यत्र पूर्वे साध्याः सन्तिदेवाः॥'

બાદમાં આ મંત્રથી પ્રાર્થના કરો: -

'इयं तु द्वादशी देव प्रबोधाय विनिर्मिता।
त्वयैव सर्वलोकानां हितार्थ शेषशायिना॥'
इदं व्रतं मया देव कृतं प्रीत्यै तव प्रभो।
न्यूनं सम्पूर्णतां यातु त्वत्प्रसादाज्जनार्दन॥'

સાથે સાથે પ્રહલાદ, નારદ, પરાશર, પુણ્ડરિક, વ્યાસ, શુક ભક્તોનું સ્મરણ કરીને ચરણામૃત, પંચામૃત પ્રસાદ વિતરણ કરો. બાદમાં એક રથમાં ભગવાનને વિરાજમાન કરીને જાતે ખેંચો ભગવાન વિષ્ણુ યોગનિદ્વાનો ત્યાગ કરીને તમામ પ્રકારની ક્રિયાઓ કરવા સક્રિય થઈ જાય છે. અંતમાં કતા શ્રવણ કરીને પ્રસાદનું વિતરણ કરવું.

Wednesday, November 7, 2012

ૐ શ્રી ગણેશાય નમઃ । ૐ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ । ૐ શ્રી સરસ્વત્યૈ નમઃ ।


 
શ્રી લક્ષ્મીજીની આરતી
જય લક્ષ્મી માતા, મા જય લક્ષ્મી માતા
તુમકું નિશદિન સેવત (૨) હર વિષ્ણુ ધાતા. - જય
બ્રહ્માણી રુદ્રાણી કમલા; તું હી પે જગ માતા (૨)
સૂર્ય ચંદ્રમા ધ્યાવત, (૨) નારદઋષિ ગાતા. - જય
દુર્ગા રૂપ નિરંજન સુખ સંપત્તિ દાતા (૨)
જો કોઈ તુમકું ધ્યાવત (૨) અષ્ટ સિદ્ધિ ધનપાતા - જય
તું હી હે પાતાલ બસંતી તું હી શુભ દાતા (૨)
કર્મ પ્રભાવ પ્રકાશ (૨) જગનિધિ હે ત્રાતા. - જય
જિસ ઘર થોરી બાસે જાહિ મેં ગુણ આતા (૨)
કર ન સકે સો કર લે (૨) ધન નહિ ધરતા - જય
તુમ બિન ધરી ન હોવે, વસ્ત્ર ન હોય રાતા (૨)
ખાન પાન કા વૈભવ (૨) તુમ બિન કુળ દાતા. - જય
શુભ ગુણ સુંદર સુકતા ક્ષીરનિધિ જાતા (૨)
રત્ન ચતુર્દશ તો તુમ (૨) બિન કોઈ નર પાતા. - જય
આરતી લક્ષ્મીજી કી જો કોઈ નર ગાતા (૨)
ઉર આનંદ અતિ ઉમંગે (૨) પાર ઉપર જાતા. - જય
ભીતર ચર જગત બસાવે, કર્મ પ્રાણ દાતા (૨)
રામ પ્રતાપ મૈયા કી (૨) શુભ દૃષ્ટિ ચાહતા. - જય
 
શ્રી લક્ષ્મીજીનો થાળ
 
જમવાને આવજો, લક્ષ્મીદેવીજી પધારજો ... આવજો
 
ભોજનીયા ભાવના, અંતરના લ્હાવાના
પીરસીને ધરિયો છે થાળ... આવજો
 
મનગમતી વાનગી, ખૂબ નાંખ્યા ખાંડ-ઘી
આરોગો ભાવે કંસાર... આવજો
 
તાજાં કીધાં છે શાક ભક્તનો ના જોશો વાંક,
ભાવે જમે દિલડાની દાળ... આવજો
 
મનની મીઠાઈ અને ભાવ કેરો ભાત છે,
સ્નેહ કેરા શાકની નિરાળી વાત છે... આવજો
 
ઝારીમાં ભરીયા છે, પ્રેમ તણા વારિ,
ભક્તોની રાખજો ભાળ... આવજો
 
સરયુનાં વારિ છે, પાન બીડી વાળી છે,
અંતરના જોડયા છે તાર... આવજો
 
આરતી ઉતારશું ને ફૂલડાં વેરાવશું,
લવિંગ સોપારી ને પાન ખવરાવશું,
જય લક્ષ્મીદેવીજી તમ પર જાઉં બલિહારી... આવજો
 
શ્રી મહાલક્ષ્મીની સ્તુતિ
 
મહાદેવી મહાલક્ષ્મી નમસ્તે ત્વં વિષ્ણુ પ્રિયે ।
શક્તિદાયી મહાલક્ષ્મી નમસ્તે દુઃખ ભજનિ ।૧।
 
શ્રૈયા પ્રાપ્તિ નિમિત્તાય મહાલક્ષ્મી નમામ્યહમ ।
પતિતોધ્ધારિણી દેવી નમામ્યહં પુનઃ પુનઃ ।૨।
 
વેદાંસ્ત્વા સંસ્તુવન્તિ હી શાસ્ત્રાણિ ચ મુર્હુમુઃ ।
દેવાસ્ત્વાં પ્રણમન્તિહી લક્ષ્મીદેવી નમોડસ્તુતે ।૩।
 
નમસ્તે મહાલક્ષ્મી નમસ્તે ભવભજની ।
ભુક્તિમુક્તિ ન લભ્યતે મહાદેવી ત્વયી કૃપા વિના ।૪।
 
સુખ સૌભાગ્યં ન પ્રાપ્નોતિ પત્ર લક્ષ્મી ન વિદ્યતે ।
ન તત્ફલં સમાપ્નોતિ મહાલક્ષ્મી નમામ્યહમ ।૫।
 
દેહિ સૌભાગ્યમારોગ્યં દેહિ મે પરમં સુખમ્ ।
નમસ્તે આદ્યશક્તિ ત્વં નમસ્તે ભીડભંજની ।૬।
 
વિધેહિ દેવી કલ્યાણં વિધેહિ પરમાં શ્રિયમ ।
વિદ્યાવન્તં યશસ્વન્તં લક્ષ્મવન્તં જનં કુરુ ।૭।
 
અચિન્ત્ય રૂપ-ચરિતે સર્વશત્રુ વિનાશિની ।
નમસ્તેતુ મહામાયા સર્વ સુખ પ્રદાયિની ।૮।
 
નમામ્યહં મહાલક્ષ્મી નમામ્યહમ સુરેશ્વરી ।
નમામ્યહં જગધ્ધાત્રી નમામ્યહં પરમેશ્વરી ।૯।
 
શ્રી લક્ષ્મી સ્તવન
 
યા રક્તામ્બુજવાસિની વિલસિની
ચણ્ડાંશુ તેજસ્વિની ।।
યા રક્તા રુધિરામ્બરા હરિસખી
યા શ્રી મનોલ્હાદિની ।।
યા રત્નાકરમન્થનાત્પ્રગટિતા વિષ્ણોસ્વયા દેહિની ।
સા માં પાતુ મનોરમા ભગવતી
લક્ષ્મી શ્વ પદ્માવતી ।।
ભાવાર્થઃ
જે લાલ કમળમાં રહે છે.
જે વિલાસો (શોભા)થી યુક્ત રહે છે.
જે પ્રચંડ તેજ કિરણો ધરાવે છે.
જે સંપૂર્ણપણે લાલ છે.
જે રુધિરરૂપી વસ્ત્રો ધરાવે છે.
જે વિષ્ણુ ભગવાનને અત્યંત પ્રિય છે.
જે લક્ષ્મી મનને આનંદ આપે છે.
જે સમુદ્રમંથનમાંથી પ્રગટ થયેલી છે, જે પોતે વિષ્ણુની પત્ની છે, જે પદ્મમાંથી જન્મેલી છે અને જે અતિશય પૂજ્ય છે, તેવા હે લક્ષ્મીદેવી મારું રક્ષણ કરો.

ધનતેરસઃ ધન પૂજનનો શ્રેષ્ઠ અવસર


પૂજન પર્વ - પ્રશાંત પટેલ
ધનતેરસ : રવિવાર ૧૧ નવેમ્બર, ૨૦૧૨
ધનતેરસના દિવસે ધન તથા માતા લક્ષ્મીજીનાં પૂજન પાછળ પણ એક કથા જોડાયેલી છે, તે પ્રમાણે લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુનો શાપ હતો કે તેમણે તેર વર્ષ સુધી ખેડૂતને ત્યાં રહેવાનું છે. આ તેર વર્ષ દરમિયાન ખેડૂતનાં ધન-ધાન્યમાં ખૂબ વૃદ્ધિ થઈ. શાપની અવધિ પૂર્ણ થઈ અને ભગવાન વિષ્ણુ જ્યારે તેમને પાછાં લેવા આવે છે ત્યારે ખેડૂતે તેમને જતાં રોક્યાં ત્યારે લક્ષ્મીજીએ ખેડૂતને વરદાન આપ્યું કે ધનતેરસના દિવસે દીવા પ્રગટાવીને જે વ્યક્તિ ધન પૂજન તથા મારું પૂજન કરશે તે ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહેશે.
યમરાજને દીપદાન
પરંપરા અનુસાર ધનતેરસની સંધ્યાએ યમરાજનું પૂજન કરવામાં આવે છે તથા દક્ષિણ દિશામાં તેમના માટે તેર દીવા પ્રગટાવવામાં આવે છે તેની પાછળ એક પ્રચલિત કથા છે. એ કથા પ્રમાણે એક વાર યમરાજાએ પોતાના દૂતોને પ્રશ્ન કર્યો કે, 'શું તમને પ્રાણીઓના પ્રાણ હણતી વખતે કોઈ પણ પ્રાણી ઉપર દયા આવી છે?' આ પ્રશ્ન સાંભળીને યમદૂતોએ એક સ્વરમાં કહ્યું, 'મહારાજ અમે બધા તો તમારા સેવક છીએ અને તમારી આજ્ઞાનું પાલન કરવું એ જ અમારો ધર્મ છે, તેથી દયા અને મોહ-માયા સાથે અમારે કંઈ લેવા-દેવા નથી.'
યમરાજે ફરીથી તેમને નિર્ભય બનીને સાચું જણાવવા કહ્યું, ત્યારે યમદૂતોએ જણાવ્યું કે, 'એક દિવસ હંસ નામનો એક રાજા શિકાર કરવા માટે જંગલમાં ગયો અને ગાઢ જંગલમાં પોતાના સાથીદારોથી વિખૂટો પડીને બીજા રાજ્યના સીમાડામાં પહોંચી ગયો. તે રાજ્યના રાજાનું નામ હેમ હતું. તેમણે હંસનો રાજકીય સત્કાર કર્યો. તે જ દિવસે હેમની પત્નીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો, પરંતુ જ્યોતિષીઓએ ભવિષ્યવાણી કરી કે વિવાહના ચોથા જ દિવસે આ બાળકનું મૃત્યુ થશે. આ દુઃખદ રહસ્ય જણીને હેમ રાજાએ પોતાના નવજાત પુત્રને યમુનાના તટ પર એક ગુફામાં મોકલી દીધો અને ત્યાં જ તેના ઉછેરની શાહી વ્યવસ્થા કરી. કોઈ પણ યુવતીનો પડછાયો પણ તેના પર ન પડે તેનું ધ્યાન રાખ્યું, પરંતુ વિધિનું વિધાન અડગ હતું.
એક દિવસ રાજા હંસની પુત્રી ફરતાં-ફરતાં યમુના તટે આવી અને રાજકુમારને જોતાં જ તેના પર મોહિત થઈ ગઈ. રાજકુમારની પણ આ જ દશા હતી, તેથી બંને જણે તે સમયે ગાંધર્વવિવાહ કરી લીધા. વિધિના વિધાન અનુસાર ચાર દિવસ પછી રાજકુમારનું મૃત્યુ થઈ ગયું.
યમદૂતોએ યમરાજને જણાવ્યું કે, 'તેમણે આવી સુંદર જોડી પોતાના જીવનમાં પહેલાં ક્યારેય નથી જોઈ. તેઓ કામદેવ અને રતિ જેવા સુંદર હતાં, તેથી રાજકુમારના પ્રાણ હરણ કર્યા પછી નવવિવાહિતા રાજકુમારીનો કરુણ વિલાપ સાંભળીને અમારું કાળજુ કંપી ઊઠયું.'
આખી ઘટનાનો વૃત્તાંત સાંભળ્યા પછી યમરાજાએ યમદૂતોને કહ્યું કે, આસો વદ તેરસના દિવસે જે પણ વ્યક્તિ ધન્વંતરિ દેવનું પૂજન અને મારા માટે દીપદાન કરશે તે અકાળ મૃત્યુથી બચી જશે.
એવી માન્યતા છે કે ત્યારથી ધન્વંતરિ અને યમરાજનું પૂજન કરવાની તથા દક્ષિણ દિશામાં તેર દીવા પ્રગટાવવાની પ્રથા શરૂ થઈ. આ સિવાય ધનતેરસના દિવસે ઘરનાં તૂટેલાં-ફૂટેલાં વાસણોને બદલીને નવાં વાસણો તથા સોનાં-ચાંદીનાં ઘરેણાં કે વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. 
કુબેર પૂજન
ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેરની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. કહેવાય છે કે લંકાના રાજા રાવણે કુબેરની સાધના કરી તેમને પ્રસન્ન કરીને સુવર્ણની લંકા બનાવી હતી. ચાંદી એ કુબેરની ધાતુ છે, તેથી ધનતેરસના દિવસે ચાંદીની ખરીદી કરવાથી ઘરની સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. તિજોરી અને કુબેર યંત્રનું પૂજન પણ કરવામાં આવે છે.
ધન્વંતરિ દેવનો જન્મદિવસ
જેરીતે સમુદ્રમંથન દરમિયાન તેમાંથી માતા લક્ષ્મી ઉત્પન્ન થયાં હતાં તે જ રીતે ભગવાન ધન્વંતરિ પણ અમૃત કળશ લઈને સમુદ્રમંથનમાંથી ઉત્પન્ન થયા હતા. માતા લક્ષ્મી ધનનાં દેવી છે, પરંતુ તેમની કૃપા મેળવવા માટે શારીરિક સ્વસ્થતા અને લાંબું આયુષ્ય પણ હોવું જોઈએ. આસો વદ તેરસના દિવસે ધન્વંતરિનો જન્મ થયો હતો, તેથી ધનતેરસે ધન્વંતરિ જયંતી મનાવવામાં આવે છે. તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે. ધન્વંતરિને દેવોના વૈદ્ય માનવામાં આવે છે,તેથી વૈદ્યો અને ચિકિત્સકો આ દિવસે ધન્વંતરિ દેવનું પૂજન કરે છે. ધન્વંતરિ જ્યારે પ્રગટ થયા ત્યારે તેમના હાથમાં અમૃતથી ભરેલો કળશ હતો. ધન્વંતરિ કળશ (પાત્ર, વાસણ) લઈને પ્રગટ થયા હતા, તેથી ધનતેરસના દિવસે વાસણ ખરીદવાની પરંપરા છે. એવું પણ કહેવાય છે કે ધનતેરસના દિવસે ધન અથવા વસ્તુ ખરીદવાથી તેમાં તેર ગણી વૃદ્ધિ થાય છે. પિત્તળ એ ધન્વંતરિની ધાતુ છે, તેથી ધનતેરસના દિવસે પિત્તળની ખરીદી કરવાથી આરોગ્ય, આયુષ્ય અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

Sunday, October 21, 2012

નવરાત્રી વિશેષ: કાળરાત્રીની પાછળ છે એક અદભુત પ્રલયની કહાણી

ઉજ્જૈન, તા. 21

કરાલરૂપા કાલાબ્જસમાનાકૃતિવિગ્રહા,
કાલરાત્રી: શુભં દદ્યાત્ દેવી ચણ્ડાટ્ટહાસિની. 

જેનું સ્વરૂપ વિકારળ છે. જેની આકૃતિ અને વિગ્રહ કૃષ્ણ-કમળ સદ્રષ્ય છે તથા જે ભયાનક અટ્ટહાસ્ય કરનારી છે, તે કાળરાત્રી દેવી દુર્ગા મંગળ પ્રદાન કરે.

કોઈ પ્રલયને કયામત કહે છે તે કોઈ આ દિવસે સૌનો નિર્ણય સંભળાવવાનો દિવસ કહે છે. તો કોઈ નિત્ય પ્રલય નૈમિત્તિકમાં ગણના કરે છે. પરંતુ ભગવાન કૃષ્ણ અનુસાર પ્રકૃતિ અનાદિ છે. પરિવર્તન થતું જ રહે છે, પરંતુ આ નષ્ટ કયારેય નથી થયું.

ભારતીય પ્રાચીન ધર્મગ્રંથો અનુસાર મનુએ પ્રલય જોયું હતું. સાથે 11 ઋષિઓએ મત્સ્યને શિંગડામાં નાવડી બાંધીને હિમાલયનાં ઉત્તુંગ શિખરની શરણ લીધી હતી. લીલાકારના ઉપદેશો અને જીવન સાથે સંબંધિત તેમના સમકાલીન શાસ્ત્ર ભાગવતમાં મુકન્ડુ મુનિના પુત્ર માર્કન્ડેય જી દ્વારા પ્રલયને આંખે જોયું હતું. નીચે પ્રલયની ઝલક આપેલી છે.

તેઓ હિમાલયના ઉત્તરમાં આવેલ પુષ્પભદ્રા નદીનાં કિનારે રહેતાં હતા. ભાગવતના દ્રાદશ સ્કંધના આઠમા અને નવમાં અધ્યાય અનુસાર શૌનકાદિ ઋષિઓએ સૂત જીને પૂછ્યું કે માર્કન્ડેય જીએ મહાપ્રલયમાં વડલાના પત્તા પર ભગવાન બાળમુકુંદના દર્શન કર્યા હતા, પરંતુ તેઓ તો અમારા વંશના હતા,અમારાથી થોડા જ સમય પહેલાં થયા હતા. તેમના જન્મ પછી ન તો કોઈ પ્રલય થયો કે ન સૃષ્ટિ ડૂબાઈ, બધુ યથાવત્ છે. ત્યારે તેમને કેવો પ્રલય જોયો. તે સમયે સૂત જીએ જણાવ્યું કે માર્કન્ડેય જીની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને નર-નારાયણે તેમને દર્શન આપ્યા.

માર્કન્ડેય જીએ કહ્યું કે હું તમારી માયા જોવા માગું છું. જેનાથી પ્રેરાઈને આત્મા અનંત યોનિમાં ભ્રમણ કરે છે. ભગવાને સ્વીકાર કરીને એક દિવસે જ્યારે મુનિ પોતાના આશ્રમમાં ભગવાનના ચિંતનમાં તન્મય હતા તે સમયે તેમને જોયું કે ચારે બાજુ દરિયો ઘૂઘવાટા મારી રહ્યો છે. આ દરિયો તેમની તરફ ધસી રહ્યો છે.

દરિયાના વિશાળ મોજાના થપેડામાં માર્કન્ડેય જી આમથી તેમ દોડવા લાગ્યા. આકાશ, સૂર્ય, પૃથ્વી, ચંદ્રમા અને સ્વર્ગ આ મહાવિશાળ સમૃદ્રમાં ડૂબી રહ્યું હોય તેવું જણાયું. આ દરમિયાન તેમને એક વડલાની ટોચના પત્તા પર એક શિશુ જોયું તેઓ એક શ્વાસે તેઓ શિશુ અંદર ચાલ્યા ગયા જ્યાં તેમને પોતાનો આશ્રમ અને સમગ્ર સંસાર ફરી જોયો. ફરી તેઓ એક શ્વાસથી બહાર આવ્યા. આંખ ખુલતાની સાથે જ માર્કન્ડેય જીએ પોતાને એજ આશ્રમનાં આસન આવી ગયા. કરોડો વર્ષથી ભગવાનની ઉપાસના પછી એ મુનિઓએ ઈશ્વરીય દ્રષ્યને પોતાના હૃદયમાં જોયું, અનુભવમાં જોયું. બહાર જેમનું તેમ હતું.

Sunday, October 14, 2012

આ નવરાત્રિમાં 27 વર્ષે રચાયો છે, એક દિવ્ય અદભુત સંયોગ!

ઉજ્જૈન, તા. 14

હિન્દુ ધર્મના પ્રાચીન વેદ-શાસ્ત્રો સાક્ષી છે કે જ્યારે કોઈ આસુરી શક્તિઓએ અત્યાચાર કરીને માનવ જીવનને હાનિ પહોંચાડવાનો પ્રય્તન કર્યો છે ત્યારે ત્યારે કોઈ દૈવીય શક્તિઓનું અવતરણ થયું છે. આ પ્રકાર જ્યારે મહિષાસુરાદિ દૈત્યોના અત્યાચારથી ભૂદેવ લોક હાહાકાર કરી ઊઠ્યો ત્યારે પરમ પિતા પરમેશ્વની પ્રેરણાથી તમામ દેવગણોએ એક અદભુત શક્તિનું સર્જન કર્યું જે આદિ શક્તિ મા જગદંબાના નામથી સંપૂર્મ બ્રહ્માંડમાં વ્યાપ્ત થઈ. આ આદિ શક્તિએ મહિષાસુરાદિ દૈત્યોનો વધ કરીને ભૂદેવ લોકોમાં ફરીથી પ્રાણ શક્તિ અને રક્ષા શક્તિનો સંચાર કર્યો.

નવરાત્રીનો અર્થ જ થાય છે 'નવરાત'. હિન્દુ ધર્માનુસાર આ પર્વ વર્ષમાં બે વાર આવે છે. એક ચૈત્ર માસમાં અને બીજું આસો માસમાં. આ પર્વ દરમિયાન ત્રણ મુખ્ય હિન્દુ દેવીઓ- પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીનાં નવ સ્વરૂપો શ્રી શૈલપુત્રી, શ્રી બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, શ્રી કૃષ્માંડા, શ્રી સ્કંદમાતા, શ્રી કાત્યાયની, શ્રી કાલરાત્રિ, શ્રી મહાગૌરી, શ્રી સિદ્ધિદાત્રિનું પૂજન વિધિ વિધાનથી કરવામાં આવે છે. જેને નવદુર્ગા કહેવાય છે.

પરમ કૃપા પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ ભારતમાં નવરાત્રિનું પર્વ ભારે શ્રદ્ધા, ભક્તિ અને હર્ષોલ્લાસની સાથે મનાવાય છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 16 ઑક્ટોબરના આસો સુદ શુક્લ પક્ષના પડવાથી શરૂ થશે. આ પાવન દિવસે સ્વાતિ નક્ષત્ર, વિષ્કુમ્ભ યોગ હશે. પ્રતિપદા તિથિના દિવસે શારદીય નવરાત્રિનું પહેલું નોરતું હશે. માતાજી પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખનાર વ્યકિતઓ માટે આ દિવસ ખાસ રહેશે.

આ વખતે 34 વર્ષ પછી નવરાત્રિ પર અદભુત સંયોગ બની રહ્યો છે. આ પછી આવો સંયોગ 27 વર્ષ પછી બનશે. જેથી આ આસો નવરાત્રિ પ્રસન્નતાની સાથે આદ્યાત્મિક શાંતિ લાવશે. આ નવરાત્રિમાં મંગળવારના રોજ નોરતા શરૂ થઈને મંગળવારે જ સમાપ્ત થશે. આવો સંયોગ આજથી 34 વર્ષ પહેલાં ત્રીજી ઑક્ટોબરે થયો હતો. જો કે આ નવના સ્થાને 8 દિવસ મા ભગવતીની આરાધના માટે મળશે. આ મંગળવારે નવરાત્રિનો મંગળ કળશની સ્થાપના થશે. 23 ઑક્ટોબરે મંગળવારના રોજ નવરાત્રિ પૂર્ણ થશે.

મનોકામના પૂર્ણ કરનારી ગુપ્ત નવરાત્રિ વિશે ખાસ જાણો
મા દુર્ગા નવ દિવસ માટે પૃથ્વી પર આવી રહી છે. આગામી 28 જૂનથી માતા પરત ફરી રહી છે. વર્ષમાં આવું ચાર વખત થાય છે જ્યારે માતા પૃથ્વી પર પોતાના ભ...

આ નવરાત્રિમાં 27 વર્ષે રચાયો છે, એક દિવ્ય અદભુત સંયોગ!

ઉજ્જૈન, તા. 14

હિન્દુ ધર્મના પ્રાચીન વેદ-શાસ્ત્રો સાક્ષી છે કે જ્યારે કોઈ આસુરી શક્તિઓએ અત્યાચાર કરીને માનવ જીવનને હાનિ પહોંચાડવાનો પ્રય્તન કર્યો છે ત્યારે ત્યારે કોઈ દૈવીય શક્તિઓનું અવતરણ થયું છે. આ પ્રકાર જ્યારે મહિષાસુરાદિ દૈત્યોના અત્યાચારથી ભૂદેવ લોક હાહાકાર કરી ઊઠ્યો ત્યારે પરમ પિતા પરમેશ્વની પ્રેરણાથી તમામ દેવગણોએ એક અદભુત શક્તિનું સર્જન કર્યું જે આદિ શક્તિ મા જગદંબાના નામથી સંપૂર્મ બ્રહ્માંડમાં વ્યાપ્ત થઈ. આ આદિ શક્તિએ મહિષાસુરાદિ દૈત્યોનો વધ કરીને ભૂદેવ લોકોમાં ફરીથી પ્રાણ શક્તિ અને રક્ષા શક્તિનો સંચાર કર્યો.

નવરાત્રીનો અર્થ જ થાય છે 'નવરાત'. હિન્દુ ધર્માનુસાર આ પર્વ વર્ષમાં બે વાર આવે છે. એક ચૈત્ર માસમાં અને બીજું આસો માસમાં. આ પર્વ દરમિયાન ત્રણ મુખ્ય હિન્દુ દેવીઓ- પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીનાં નવ સ્વરૂપો શ્રી શૈલપુત્રી, શ્રી બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, શ્રી કૃષ્માંડા, શ્રી સ્કંદમાતા, શ્રી કાત્યાયની, શ્રી કાલરાત્રિ, શ્રી મહાગૌરી, શ્રી સિદ્ધિદાત્રિનું પૂજન વિધિ વિધાનથી કરવામાં આવે છે. જેને નવદુર્ગા કહેવાય છે.

પરમ કૃપા પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ ભારતમાં નવરાત્રિનું પર્વ ભારે શ્રદ્ધા, ભક્તિ અને હર્ષોલ્લાસની સાથે મનાવાય છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 16 ઑક્ટોબરના આસો સુદ શુક્લ પક્ષના પડવાથી શરૂ થશે. આ પાવન દિવસે સ્વાતિ નક્ષત્ર, વિષ્કુમ્ભ યોગ હશે. પ્રતિપદા તિથિના દિવસે શારદીય નવરાત્રિનું પહેલું નોરતું હશે. માતાજી પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખનાર વ્યકિતઓ માટે આ દિવસ ખાસ રહેશે.

આ વખતે 34 વર્ષ પછી નવરાત્રિ પર અદભુત સંયોગ બની રહ્યો છે. આ પછી આવો સંયોગ 27 વર્ષ પછી બનશે. જેથી આ આસો નવરાત્રિ પ્રસન્નતાની સાથે આદ્યાત્મિક શાંતિ લાવશે. આ નવરાત્રિમાં મંગળવારના રોજ નોરતા શરૂ થઈને મંગળવારે જ સમાપ્ત થશે. આવો સંયોગ આજથી 34 વર્ષ પહેલાં ત્રીજી ઑક્ટોબરે થયો હતો. જો કે આ નવના સ્થાને 8 દિવસ મા ભગવતીની આરાધના માટે મળશે. આ મંગળવારે નવરાત્રિનો મંગળ કળશની સ્થાપના થશે. 23 ઑક્ટોબરે મંગળવારના રોજ નવરાત્રિ પૂર્ણ થશે.

મનોકામના પૂર્ણ કરનારી ગુપ્ત નવરાત્રિ વિશે ખાસ જાણો
મા દુર્ગા નવ દિવસ માટે પૃથ્વી પર આવી રહી છે. આગામી 28 જૂનથી માતા પરત ફરી રહી છે. વર્ષમાં આવું ચાર વખત થાય છે જ્યારે માતા પૃથ્વી પર પોતાના ભ...

Friday, September 28, 2012

BHADARVA Shradhha Detail


                              SHRADHDHA STARTING FROM 30.9.2012 TO 15.10.2012

NO
DATE
DATE
NAME
1
30.09.2012
SUNDAY
BHADARVA SUD PITRU PAKSHA STARTING,AKAM NU SHRADHDHA

2
01.10.2012
MONDAY
BHADARVA VAD BIJ NU SHRADHDHA

3
02.10.2012
TUESDAY
BHADARVA VAD TRIJ NU SHRADHDHA

4
03.10.2012
WEDNESDAY
BHARNI SHRADHDHA (GYA SHRADHDHA NU FAL)

5
04.10.2012
THURSDAY
BHADARVA VAD CHOTH NU SHRADHDHA

6
05.10.2012
FRIDAY
BHADARVA VAD PANCHAM NU SHRADHDHA

7
06.10.2012
SATURDAY
BHADARVA VAD CHHATH NU SHRADHDHA

8
07.10.2012
SUNDAY
BHADARVA VAD SATAMU NU SHRADHDHA

9
08.10.2012
MONDAY
BHADARVA VAD ATHAM NU SHRADHDHA

10
09.10.2012
TUESDAY
BHADARVA VAD NOM NU SHRADHDHA

11
10.10.2012
WEDESDAY
BHADARVA VAD DASHAM NU SHRADHDHA

12
11.10.2012
THURSDAY
BHADARVA VAD AEKADASI NU SHRADHDHA

13
12.10.2012
FRIDAY
BHADARVA VAD BARAS NU SHRADHDHA

14
13.10.2012
SATURDAY
BHADARVA VAD THERAS NU SHRADHDHA

15
14.10.2012
SUNDAY
BHADARVA VAD CHAUDAY NU SHRADHDHA

16
15.10.2012
MONDAY
BHADARVA VAD AMAS NU SHRADHDHA

                                                       

Thursday, September 27, 2012

Ganpati Aarti

બુદ્ધ ભગવાનના મૌનનું માહાત્મ્ય


જ્ઞાનગંગા - સુખદેવ આચાર્ય
સામાન્ય રીતે મૌનનું આધ્યાત્મિક જગતમાં ઘણું મહત્ત્વ છે. મૌનથી આંતરિક શક્તિનો વિકાસ થાય છે. આત્મિક પ્રગતિ માટે અને માનસિક શાંતિ માટે પણ મૌનનો મહિમા અનેરો છે. એટલે જ બુદ્ધ ભગવાને જ્ઞાન પ્રાપ્ત થયા બાદ મૌન ધારણ કરી લીધું હતું. શું હતું તેમના મૌનનું રહસ્ય જાણીએ.
બુદ્ધ ભગવાનને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું પછી લગભગ તે એક અઠવાડિયા સુધી મૌન રહ્યા હતા. તેઓ એક શબ્દ પણ નહોતા બોલ્યા. ગૌતમ બુદ્ધનું મૌન ધારણ કરવા પાછળનું એક કારણ હતું. તેઓ જ્ઞાનને આત્મસાત્ કરી રહ્યા હતા અને તેમને એવી અનુભૂતિ થતી હતી કે જાણે બધું જ મેળવી લીધું અને પછી કંઈ પ્રાપ્ત કરવાનું બાકી નથી રહ્યું. આ જ આનંદમાં તે નિઃશબ્દ બની ગયા હતા. એક અઠવાડિયા સુધી જ્યારે તે કંઈ જ બોલ્યા નહીં ત્યારે દેવી-દેવતાઓએ તેમને જ્ઞાનવાણી કહેવા વિનવણી કરી હતી. પૌરાણિક કથા મુજબ બધાં જ દેવી-દેવતાઓએ તેમને ખૂબ જ પ્રાર્થના કરી ત્યારે મૌન સમાપ્ત થતાં તે બોલ્યા કે, 'જે જાણે છે તે મારા કહેતા પહેલાં પણ જાણે છે અને જે નથી જાણતા તે મારા કહેવાથી પણ નહીં જાણે. જેમણે જીવનનું અમૃત નથી ચાખ્યું, તેમની સાથે વાત કરવી વ્યર્થ છે, તેથી જ મેં મૌન ધારણ કર્યું હતું. આ અનુભૂતિ જાણે વધુ આત્મીય બની ગઈ છે અને જે વધુ આત્મીય અને વ્યક્તિગત હોય તેને કેવી રીતે વ્યક્ત કરી શકાય.
આ બાબતે દેવતાઓએ કહ્યું કે, 'તમે જે કહી રહ્યા છો તે સત્ય છે, પણ લોકકલ્યાણ હેતુ જ્ઞાનનો પ્રચાર પ્રસાર પણ થવો જોઈએ. જે લોકો કંઈ જ નથી જાણતા, તેમને પણ આત્મકલ્યાણ કરી જીવનને યથાર્થ કરવાનો માર્ગ મળવો જોઈએ. તેના વિશે વિચારો જેને પૂરી રીતે જ્ઞાન નથી થયું અને એ અજ્ઞાનના અંધારામાં જ જીવન પસાર કરી રહ્યા છે. તેમના માટે તમારા થોડા શબ્દો પણ પ્રેરણાદાયી હશે. બની શકે કે જ્ઞાન અને મૌન પછીની વાણી અનેક લોકોના જીવનને અજવાળી દે. તમારી જેમ અન્ય લોકોને પણ જ્ઞાનામૃતની અનુભૂતિ કરવાનો અવસર પ્રાપ્ત થાય. તમારા દ્વારા બોલાયેલા શબ્દો જ મૌનનું સર્જન કરશે.'આ રીતે દેવતાઓએ બુદ્ધના જ્ઞાનને લોકો માટે સુલભ બનાવવા તેમનું મૌન તોડાવ્યું હતું, પણ તેમના મૌનનું એક આધ્યાત્મિક મહત્ત્વ હતું અને તેમાં એક આત્મિક આનંદ હતો, જેનું વર્ણન પણ બુદ્ધ ભગવાને મૌન તોડયા બાદ કર્યું છે.
 બુદ્ધ મૌનની પ્રતિમૂર્તિ છે. મૌન જીવનનો સ્ત્રોત છે. જ્યારે લોકો ક્રોધિત થાય છે તો તે પહેલાં બૂમ બરાડા પાડે છે પછી મૌન થઈ જાય છે. જ્યારે દુઃખ પડે છે ત્યારે પણ મન મૌનની શરણમાં જાય છે. જ્યાં જ્ઞાન થઈ જાય ત્યાં પણ મૌન જ હોય છે. બધું જ મેળવી લીધા બાદ એવી તૃપ્તિની અનુભૂતિ થાય છે કે કંઈ જ કહેવાનું શેષ નથી રહેતું. શરૂઆતથી બુદ્ધે સંતુષ્ટ જીવનનો નિર્વાહ કર્યો છે. દરેક પ્રકારની સુખ-સુવિધા અને ઋતુ પ્રમાણેના અલગ અલગ મહેલ તેમની પાસે હતા. એક દિવસ તેમને થયું કે મારે બહાર જઈને જોવું છે કે દુનિયા શું છે અને તેમણે દુઃખી, વૃદ્ધ અને બીમાર માણસને જોયો. જીવન વિષે વિચારવાનું શરૂ કર્યું. આ દૃશ્ય તેમને જ્ઞાન આપવા માટે પર્યાપ્ત હતું કે જીવનમાં દુઃખ છે. બુદ્ધ ભગવાન આ દુઃખમાંથી માર્ગ શોધવા માટે એકલા જ સત્યની શોધ માટે નીકળી ગયા. આ ઘટના બાદ તે જીવનનાં ચાર સત્યો જાણી શક્યાં.
પહેલું સત્ય એ કે દુનિયામાં દુઃખ છે. જીવનમાં માત્ર બે સંભાવનાઓ છે, એક તો એ કે ચારે બાજુનાં દુઃખને જાઈને સમજી જવું અને બીજું એ કે ખુદ તેનો અનુભવ કરીને સમજવું કે સંસારમાં દુઃખ છે અને તેના માટે કોઈ કારણ હોય છે. તમે કોઈ કારણ વગર સુખી રહી શકો છો, પણ દુઃખનું કોઈ કારણ તો હોય જ છે અને ત્રીજું મહત્ત્વપૂર્ણ એ છે કે દુઃખનું નિવારણ સંભવ છે અને તેનાથી બહાર નીકળવાનો પણ એક રસ્તો છે. આ રીતે ભગવાન બુદ્ધે સત્યને શોધ્યું અને પછી કંઈ જ કહેવાનું વિશેષ ન રહેતું હોવાથી તે મૌન થઈ ગયા અને આત્માનુભૂતિમાં લીન થઈ ગયા. મૌન જ દુઃખ, દર્દ અને જીવનની મુશ્કેલીઓનો અંત અને અખંડ આનંદનો ઉદય છે. મૌનથી જ શાંતિ, કરુણા, પ્રેમ, મિત્રતા અને આનંદની પ્રાપ્તિ થાય છે. દુઃખને મૌન ઓગાળે છે અને આનંદ સાથે આત્મિક પ્રેમને જન્મ આપે છે, જે પ્રેમ અને આનંદ ક્યારેય દુઃખમાં પરિર્વિતત થતા નથી.   

Tuesday, September 18, 2012

ગણેશ ચતુર્થી વિશેષ: 27 વર્ષ પછી સર્જાશે આવો અદભુત સંયોગ


નવી દિલ્હી, તા. 18

ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બરના રોજ એટલે કે આવતીકાલે છે. શાસ્ત્રોમાં બુધવારને ભગવાન ગણેશનો દિવસ માનવામાં આવ્યો છે. આની પર સારી વાત એ છે કે આ દિવસોમાં બુધ પોતાની સ્વરાશિ કન્યામાં હશે. આની પર સોનામાં સુગંધ ભળે એ વાત છે કે આ દિવસે સ્વાતિ નક્ષત્ર અને રવિયોગનો પણ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં  કહેવાયું છે કે એકલો રવિયોગ ઘણાં અશુભ યોગનો નાશ કરનારો હોય છે. આ યોગમાં જે પણ કરવામાં આવે છે તેમાં સફળતા મળે જ છે.

ગણેશ ચતુર્થી પર તુલાનું ચંદ્રમાં, બુધવાર, સ્વાતિ નક્ષત્ર અને રવિયોગનો સંયોગ 1985માં બન્યો હતો. હવે ત્રીસ વર્ષ સુધી આ પ્રકારનો સંયોગ નહીં બને. બુધવારના રોજ ગણેશ ચતુર્થીનો સંયોગ આ પહેલા વર્ષ 2008માં બન્યો હતો અને 2012 પછી 2022માં બનશે. શાસ્ત્રો અનુસાર ગણપતિનો જન્મ ભાદ્રપદ શુક્લપક્ષ ચતુર્થીના દિવસે બુધવારના રોજ મધ્યાન્હના સમયે થયો હતો. આ વખતે પણ ગણેશ ચતુર્થીના દિવસે બુધવારનો મધ્યાન્હનો સમય મહત્વપૂર્ણ છે, તો આ સમયે ગણપતિની પૂજાની સાથે સાથે મહત્વપૂર્ણ સંયોગમાં ગણપતિ સ્થાપન કરી શકાય.

વ્યાવસાયિકો અનુસાર આ વખતે ગણેશ ચતુર્થી ખાસ લાભપ્રદ રહેશે. આ દિવસે ચંદ્રમાં શુક્રની રાશિ તુલામાં હશે જેનાથી વિલાસિતા અને સૌંદર્ય સાથે સંકળાયેલ ચીજવસ્તુ પ્રત્યે રુચિ વધશે. સુખ-સમૃદ્ધિ પ્રત્યે લોકોનું વલણ વધશે. ગણેશજીનું પૂજન જીવન સ્તરને ઊંચું કરવામાં સહાયક થશે. ખરીદ-વેચાણ કરવા માટે અને નવા કાર્યો શરૂ કરવા માટે પણ ગણેશ ચતુર્થીનો દિવસ ઉત્તમ રહેશે.

આ ન્યૂઝ પર પણ કરો નજર:
આ ગણપતિ દાદા પર્યાવરણ બચાવવામાં કરશે ખૂબ મદદ!
ભગવાન ગણેશની મૂર્તિઓ જળમાં વિસર્જિત કરવાથી પર્યાવરણને થનાર નુકસાનથી હવે ડરવાની કોઈ જરૂર...

સુખ-સમૃદ્ધિ તમે ઈચ્છતા હોવ તો કરો, શ્રી ગણેશના આ રૂપોની પૂજા!
હિન્દુ ધર્મ શાસ્ત્રો પ્રમાણે પ્રથમ પૂજ્ય દેવતા શ્રી ગણેશ છે કારણ કે ગણેશજી બુદ્ધિ, સુખ, સમૃદ્ધિ અને વિદ્યાના દાતા છે. તેમની ઉપાસના અને સ્વરૂપ મંગળકારી માન...

ઘરમાં વાસ્તુ દોષ નડતો હોય તો આ રહ્યો તેને ઉકેલ
તમામ શુભ કાર્યમાં સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરવી અનિવાર્ય છે. તેવી રીતે ઘરમાં કોઈ વિઘ્ન કે હાનિ થતી હોય તો વાસ્તુની સમસ્યા હોઈ શકે છે, જેથી કરીને ગણેશજીની આરાધના...

ભાગ્ય સાથ ન આપી રહ્યું હોય તો કરો આ સરળ ઉપાય
દરેક માનવી એવું ઈચ્છે છે કે તેને ધન, સંપત્તિ અને માન-સન્માન મળે. આ માટે તેઓ દિવસ-રાત સતત મહેનત કરે છે જેમાં કેટલાક સફળ થાય છે તો કેટલાક નિષ્ફળ થાય છે. જો ...

Monday, September 17, 2012

Svyato-Spassky Convent in Kostomarovo — Russia



The Svyato-Spassky Convent in Kostomarovo is an ancient cave monastery located about 150 kilometers south of the town of Voronezh, just 3-hours drive away. There are two churches in these caves: a big Spassky temple with columns and a small St. Seraphim Sarovsky church. The Spassky temple burrows deep into the chalky cliff to form a spacious interior that can house up to 2,000 people. 16 more images after the break...


According to legend, the first cave temples were built on the banks of the Don river, before the adoption of Christianity in Russia. Hermits and monks would use these ascetic cave cells to hide from persecution and it wasn’t until the 12th century that the first monastery was built. The monastery was built with the intention of providing parishioners a place to take refuge in case of enemy attacks and even sustain a long-term siege. Within the walls of the shrine were cut small cells for monks and hermits to live. Their only contact with the outside world was through a little window cut into the rock face.


When the communist came into power, the Svyato-Spassky church, along with thousands of other churches, mosques and temples across the nation was closed and the monks executed. During the Great Patriotic War (or World War 2) the caves of Svyato-Spassky provided shelter to Soviet soldiers and locals fighting the German troops. After the 1943 meeting between Stalin with Metropolitan Sergius, Orthodox churches were reopened. In 1946, the Svyato-Spassky church was officially registered as a Holy Savior Catholic Church.


Restoration of the shrine progressed quickly, but in the early 60's, at the direction of NS Khrushchev, the local authorities under the pretext that the church premises were unfit for further use, closed the temple. All the external building were burned and the cave flooded.


The modern church and convent was constructed in 1993. Through the efforts of ordinary believers the caves were cleaned out and the inside electrified. By 1997, the cave complex had living quarters, nursing corps, refectory and a chapel. Today the church is visited by pilgrims from all over Russia.