Thursday, February 21, 2013

સિમ્પલ ભગવદ્ ગીતા


સાતમું ચરણ
આ શ્ર્લોક દીવડાના લોગો સાથે મૂકવામાં આવતો. ચોથા અધ્યાયનો ૩૮મો શ્ર્લોક આ મુજબ છે:
न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते ।

तत्स्वयं योगसंसिद्ध: कालेनात्ङ्गर्श्रिींेींशनि विन्दति ॥
સૌપ્રથમ સમાસ છૂટા પાડીને દરેક શબ્દનો અથર સમજીએ.

न= નથી

ह = કશું જ

ज्ञानेन सदृशम् = જ્ઞાન સમાન

पवित्रम् = પવિત્ર
रह = આ સંસારમાં

वद्यते = રહે છે

तत् = એને, એ જ્ઞાનને

स्वयम् = સ્વયં

योगसंसिद्ध = સંપન્ન યોગી

कालेन = કાળની સાથે

आत्ङ्गर्श्रिींेींशनि = પોતાનામાં

वन्दति = પ્રાપ્ત કરી લે છે.

હવે આ શ્ર્લોકના સંસ્કૃત શબ્દોને જ પદ્યને બદલે સાદા વાકયમાં ઢાળીને ગદ્ય‚પે

જોઈએ:
रह ज्ञानेन - सदृशम् पवित्रम् हि न विद्यते; योगसंसिद्धः कालेन तत् स्वयम् आत्ङ्गर्श्रिींेींशनि विन्दति।

‘જ્ઞાનના જેવું આ જગતમાં બીજું કંઈ પવિત્ર એટલે કે શુદ્ધ કરનારું નથી. યોગમાં - સમત્વમાં પૂર્ણ થયેલો મનુષ્ય કાળે કરીને પોતે પોતાનામાં તે જ્ઞાન પામે છે.
આ શ્ર્લોકને એના આગલા શ્ર્લોકો સાથેના સંદર્ભે સમજાવતાં ગાંધીજી કહે છે કે,
‘જ્ઞાન મેળવવાની ત્રણ શરતો છે. પ્રણિપાત અર્થાત્ નમ્રતા કે વિવેક. પરિપ્રશ્ર્ન

અર્થાત ફરી ફરી પૂછયું તે અને ત્રીજું, સેવા. સેવા વિનાની નમ્રતા ખુશામતમાં ખપવાનો સંભવ છે.’
જ્ઞાનથી ઊંચું આ જગતમાં બીજું કંઈ નથી એનો આજના યુગમાં અથર એ પણ ખરો કે માહિતી ગોખીને, પરીક્ષામાં પાસ થઈને મોટી ડિગ્રીઓ મેળવી લેવાથી જ્ઞાન આવી જતું નથી. માહિતી ઈન્ફર્મેશન છે, જ્ઞાન નોલેજ છે. જ્ઞાન સુધી ન પહોંચાડતી નકરી માહિતીનું ભૂસું મગજમાં ભરી રાખવાની જ‚ર નથી.
કિશોરલાલ ઘ. મશ‚વાળાએ ‘ગીતા ધ્વનિ’માં આ શ્ર્લોકનો ગુજરાતી પદ્ય અનુવાદ આપ્યો છે:

"નથી જ જ્ઞાનના જેવું પવિત્ર જગમાં કંઈ;
સિદ્ધયોગી, યથાકાળે, જાણે એ આત્મમાં સ્વયં.

અહીં એક વાત સમજી લેવાની છે કે ભણેલા માણસો જ જ્ઞાની હોય તે જ‚રી
નથી. ભણતર ન હોય એવા મનુષ્યો પણ પોતાના અજ્ઞાનનો પડદો હટાવી દેવા

સક્ષમ હોય છે. અને ભણેલાઓ કયારેય પોતાનું અજ્ઞાન દૂર ન કરી શકે એવું પણ બનતું હોય છે.
જ્ઞાની બન્યા પછી શાંતિની શોધ માટે બહાર જવું પડતું નથી, ભીતરમાં શાંતિનો ધોધ વહેતો થઈ જાય છે.
છેલ્લે મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીના અનુવાદને અંગ્રેજીમાં મૂકી આપ્યો છે તે જોઈ લઈએ:
"There is nothing in this world so purifying as Knowledge

He Who is Perfected by yoga finds it in himself in the fullness of time.