Sunday, October 21, 2012

નવરાત્રી વિશેષ: કાળરાત્રીની પાછળ છે એક અદભુત પ્રલયની કહાણી

ઉજ્જૈન, તા. 21

કરાલરૂપા કાલાબ્જસમાનાકૃતિવિગ્રહા,
કાલરાત્રી: શુભં દદ્યાત્ દેવી ચણ્ડાટ્ટહાસિની. 

જેનું સ્વરૂપ વિકારળ છે. જેની આકૃતિ અને વિગ્રહ કૃષ્ણ-કમળ સદ્રષ્ય છે તથા જે ભયાનક અટ્ટહાસ્ય કરનારી છે, તે કાળરાત્રી દેવી દુર્ગા મંગળ પ્રદાન કરે.

કોઈ પ્રલયને કયામત કહે છે તે કોઈ આ દિવસે સૌનો નિર્ણય સંભળાવવાનો દિવસ કહે છે. તો કોઈ નિત્ય પ્રલય નૈમિત્તિકમાં ગણના કરે છે. પરંતુ ભગવાન કૃષ્ણ અનુસાર પ્રકૃતિ અનાદિ છે. પરિવર્તન થતું જ રહે છે, પરંતુ આ નષ્ટ કયારેય નથી થયું.

ભારતીય પ્રાચીન ધર્મગ્રંથો અનુસાર મનુએ પ્રલય જોયું હતું. સાથે 11 ઋષિઓએ મત્સ્યને શિંગડામાં નાવડી બાંધીને હિમાલયનાં ઉત્તુંગ શિખરની શરણ લીધી હતી. લીલાકારના ઉપદેશો અને જીવન સાથે સંબંધિત તેમના સમકાલીન શાસ્ત્ર ભાગવતમાં મુકન્ડુ મુનિના પુત્ર માર્કન્ડેય જી દ્વારા પ્રલયને આંખે જોયું હતું. નીચે પ્રલયની ઝલક આપેલી છે.

તેઓ હિમાલયના ઉત્તરમાં આવેલ પુષ્પભદ્રા નદીનાં કિનારે રહેતાં હતા. ભાગવતના દ્રાદશ સ્કંધના આઠમા અને નવમાં અધ્યાય અનુસાર શૌનકાદિ ઋષિઓએ સૂત જીને પૂછ્યું કે માર્કન્ડેય જીએ મહાપ્રલયમાં વડલાના પત્તા પર ભગવાન બાળમુકુંદના દર્શન કર્યા હતા, પરંતુ તેઓ તો અમારા વંશના હતા,અમારાથી થોડા જ સમય પહેલાં થયા હતા. તેમના જન્મ પછી ન તો કોઈ પ્રલય થયો કે ન સૃષ્ટિ ડૂબાઈ, બધુ યથાવત્ છે. ત્યારે તેમને કેવો પ્રલય જોયો. તે સમયે સૂત જીએ જણાવ્યું કે માર્કન્ડેય જીની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને નર-નારાયણે તેમને દર્શન આપ્યા.

માર્કન્ડેય જીએ કહ્યું કે હું તમારી માયા જોવા માગું છું. જેનાથી પ્રેરાઈને આત્મા અનંત યોનિમાં ભ્રમણ કરે છે. ભગવાને સ્વીકાર કરીને એક દિવસે જ્યારે મુનિ પોતાના આશ્રમમાં ભગવાનના ચિંતનમાં તન્મય હતા તે સમયે તેમને જોયું કે ચારે બાજુ દરિયો ઘૂઘવાટા મારી રહ્યો છે. આ દરિયો તેમની તરફ ધસી રહ્યો છે.

દરિયાના વિશાળ મોજાના થપેડામાં માર્કન્ડેય જી આમથી તેમ દોડવા લાગ્યા. આકાશ, સૂર્ય, પૃથ્વી, ચંદ્રમા અને સ્વર્ગ આ મહાવિશાળ સમૃદ્રમાં ડૂબી રહ્યું હોય તેવું જણાયું. આ દરમિયાન તેમને એક વડલાની ટોચના પત્તા પર એક શિશુ જોયું તેઓ એક શ્વાસે તેઓ શિશુ અંદર ચાલ્યા ગયા જ્યાં તેમને પોતાનો આશ્રમ અને સમગ્ર સંસાર ફરી જોયો. ફરી તેઓ એક શ્વાસથી બહાર આવ્યા. આંખ ખુલતાની સાથે જ માર્કન્ડેય જીએ પોતાને એજ આશ્રમનાં આસન આવી ગયા. કરોડો વર્ષથી ભગવાનની ઉપાસના પછી એ મુનિઓએ ઈશ્વરીય દ્રષ્યને પોતાના હૃદયમાં જોયું, અનુભવમાં જોયું. બહાર જેમનું તેમ હતું.

Sunday, October 14, 2012

આ નવરાત્રિમાં 27 વર્ષે રચાયો છે, એક દિવ્ય અદભુત સંયોગ!

ઉજ્જૈન, તા. 14

હિન્દુ ધર્મના પ્રાચીન વેદ-શાસ્ત્રો સાક્ષી છે કે જ્યારે કોઈ આસુરી શક્તિઓએ અત્યાચાર કરીને માનવ જીવનને હાનિ પહોંચાડવાનો પ્રય્તન કર્યો છે ત્યારે ત્યારે કોઈ દૈવીય શક્તિઓનું અવતરણ થયું છે. આ પ્રકાર જ્યારે મહિષાસુરાદિ દૈત્યોના અત્યાચારથી ભૂદેવ લોક હાહાકાર કરી ઊઠ્યો ત્યારે પરમ પિતા પરમેશ્વની પ્રેરણાથી તમામ દેવગણોએ એક અદભુત શક્તિનું સર્જન કર્યું જે આદિ શક્તિ મા જગદંબાના નામથી સંપૂર્મ બ્રહ્માંડમાં વ્યાપ્ત થઈ. આ આદિ શક્તિએ મહિષાસુરાદિ દૈત્યોનો વધ કરીને ભૂદેવ લોકોમાં ફરીથી પ્રાણ શક્તિ અને રક્ષા શક્તિનો સંચાર કર્યો.

નવરાત્રીનો અર્થ જ થાય છે 'નવરાત'. હિન્દુ ધર્માનુસાર આ પર્વ વર્ષમાં બે વાર આવે છે. એક ચૈત્ર માસમાં અને બીજું આસો માસમાં. આ પર્વ દરમિયાન ત્રણ મુખ્ય હિન્દુ દેવીઓ- પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીનાં નવ સ્વરૂપો શ્રી શૈલપુત્રી, શ્રી બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, શ્રી કૃષ્માંડા, શ્રી સ્કંદમાતા, શ્રી કાત્યાયની, શ્રી કાલરાત્રિ, શ્રી મહાગૌરી, શ્રી સિદ્ધિદાત્રિનું પૂજન વિધિ વિધાનથી કરવામાં આવે છે. જેને નવદુર્ગા કહેવાય છે.

પરમ કૃપા પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ ભારતમાં નવરાત્રિનું પર્વ ભારે શ્રદ્ધા, ભક્તિ અને હર્ષોલ્લાસની સાથે મનાવાય છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 16 ઑક્ટોબરના આસો સુદ શુક્લ પક્ષના પડવાથી શરૂ થશે. આ પાવન દિવસે સ્વાતિ નક્ષત્ર, વિષ્કુમ્ભ યોગ હશે. પ્રતિપદા તિથિના દિવસે શારદીય નવરાત્રિનું પહેલું નોરતું હશે. માતાજી પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખનાર વ્યકિતઓ માટે આ દિવસ ખાસ રહેશે.

આ વખતે 34 વર્ષ પછી નવરાત્રિ પર અદભુત સંયોગ બની રહ્યો છે. આ પછી આવો સંયોગ 27 વર્ષ પછી બનશે. જેથી આ આસો નવરાત્રિ પ્રસન્નતાની સાથે આદ્યાત્મિક શાંતિ લાવશે. આ નવરાત્રિમાં મંગળવારના રોજ નોરતા શરૂ થઈને મંગળવારે જ સમાપ્ત થશે. આવો સંયોગ આજથી 34 વર્ષ પહેલાં ત્રીજી ઑક્ટોબરે થયો હતો. જો કે આ નવના સ્થાને 8 દિવસ મા ભગવતીની આરાધના માટે મળશે. આ મંગળવારે નવરાત્રિનો મંગળ કળશની સ્થાપના થશે. 23 ઑક્ટોબરે મંગળવારના રોજ નવરાત્રિ પૂર્ણ થશે.

મનોકામના પૂર્ણ કરનારી ગુપ્ત નવરાત્રિ વિશે ખાસ જાણો
મા દુર્ગા નવ દિવસ માટે પૃથ્વી પર આવી રહી છે. આગામી 28 જૂનથી માતા પરત ફરી રહી છે. વર્ષમાં આવું ચાર વખત થાય છે જ્યારે માતા પૃથ્વી પર પોતાના ભ...

આ નવરાત્રિમાં 27 વર્ષે રચાયો છે, એક દિવ્ય અદભુત સંયોગ!

ઉજ્જૈન, તા. 14

હિન્દુ ધર્મના પ્રાચીન વેદ-શાસ્ત્રો સાક્ષી છે કે જ્યારે કોઈ આસુરી શક્તિઓએ અત્યાચાર કરીને માનવ જીવનને હાનિ પહોંચાડવાનો પ્રય્તન કર્યો છે ત્યારે ત્યારે કોઈ દૈવીય શક્તિઓનું અવતરણ થયું છે. આ પ્રકાર જ્યારે મહિષાસુરાદિ દૈત્યોના અત્યાચારથી ભૂદેવ લોક હાહાકાર કરી ઊઠ્યો ત્યારે પરમ પિતા પરમેશ્વની પ્રેરણાથી તમામ દેવગણોએ એક અદભુત શક્તિનું સર્જન કર્યું જે આદિ શક્તિ મા જગદંબાના નામથી સંપૂર્મ બ્રહ્માંડમાં વ્યાપ્ત થઈ. આ આદિ શક્તિએ મહિષાસુરાદિ દૈત્યોનો વધ કરીને ભૂદેવ લોકોમાં ફરીથી પ્રાણ શક્તિ અને રક્ષા શક્તિનો સંચાર કર્યો.

નવરાત્રીનો અર્થ જ થાય છે 'નવરાત'. હિન્દુ ધર્માનુસાર આ પર્વ વર્ષમાં બે વાર આવે છે. એક ચૈત્ર માસમાં અને બીજું આસો માસમાં. આ પર્વ દરમિયાન ત્રણ મુખ્ય હિન્દુ દેવીઓ- પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીનાં નવ સ્વરૂપો શ્રી શૈલપુત્રી, શ્રી બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, શ્રી કૃષ્માંડા, શ્રી સ્કંદમાતા, શ્રી કાત્યાયની, શ્રી કાલરાત્રિ, શ્રી મહાગૌરી, શ્રી સિદ્ધિદાત્રિનું પૂજન વિધિ વિધાનથી કરવામાં આવે છે. જેને નવદુર્ગા કહેવાય છે.

પરમ કૃપા પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ ભારતમાં નવરાત્રિનું પર્વ ભારે શ્રદ્ધા, ભક્તિ અને હર્ષોલ્લાસની સાથે મનાવાય છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 16 ઑક્ટોબરના આસો સુદ શુક્લ પક્ષના પડવાથી શરૂ થશે. આ પાવન દિવસે સ્વાતિ નક્ષત્ર, વિષ્કુમ્ભ યોગ હશે. પ્રતિપદા તિથિના દિવસે શારદીય નવરાત્રિનું પહેલું નોરતું હશે. માતાજી પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખનાર વ્યકિતઓ માટે આ દિવસ ખાસ રહેશે.

આ વખતે 34 વર્ષ પછી નવરાત્રિ પર અદભુત સંયોગ બની રહ્યો છે. આ પછી આવો સંયોગ 27 વર્ષ પછી બનશે. જેથી આ આસો નવરાત્રિ પ્રસન્નતાની સાથે આદ્યાત્મિક શાંતિ લાવશે. આ નવરાત્રિમાં મંગળવારના રોજ નોરતા શરૂ થઈને મંગળવારે જ સમાપ્ત થશે. આવો સંયોગ આજથી 34 વર્ષ પહેલાં ત્રીજી ઑક્ટોબરે થયો હતો. જો કે આ નવના સ્થાને 8 દિવસ મા ભગવતીની આરાધના માટે મળશે. આ મંગળવારે નવરાત્રિનો મંગળ કળશની સ્થાપના થશે. 23 ઑક્ટોબરે મંગળવારના રોજ નવરાત્રિ પૂર્ણ થશે.

મનોકામના પૂર્ણ કરનારી ગુપ્ત નવરાત્રિ વિશે ખાસ જાણો
મા દુર્ગા નવ દિવસ માટે પૃથ્વી પર આવી રહી છે. આગામી 28 જૂનથી માતા પરત ફરી રહી છે. વર્ષમાં આવું ચાર વખત થાય છે જ્યારે માતા પૃથ્વી પર પોતાના ભ...