Sunday, November 25, 2012

દેવઊઠી એકાદશી માહાત્મ્ય: ભગવાન વિષ્ણુને આ રીતે કરો પ્રસન્ન!

ઉજ્જૈન, તા. 24

હિન્દુ પ્રાચીન ધર્મગ્રંથો અનુસાર આજે દેવઊઠી એકાદશીનું પાવન પર્વ છે કહેવાય છે કે આજના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ શેષ સૈયા પરથી ઊઠે છે. કારતક સુદ એકાદશી એટલે દેવઊઠી એકાદશી આજે તુલસી વિવાહ પછી લગ્નસરાની સિઝન શરૂ થઈ જાય છે. ભગવાનને આ રીતે જગાડો-

* વ્રત કરનાર સ્ત્રીઓએ આ દિવસે સવારે સ્નાનાદિ પતાવીને આંગણામાં ચોક બનાવો.
* ભગવાન વિષ્ણુના ચરણોને કળાત્મક રૂપથી અંકિત કરો.
*તડકો આવે ત્યારે ભગવાન શ્રીના ચરણોને ઢાંકી દેવા.
* ઘંટ, શંખ, નગારા વગાડો.
વિવિધ પ્રકારની રમતો, લીલા અને નૃત્યની સાથે નીચે આપેલા મંત્રનું ઉચ્ચારણ કરીને ભગવાનને જગાડો: -

Devutni Ekadashi,

'उत्तिष्ठ गोविन्द त्यज निद्रां जगत्पतये।
त्वयि सुप्ते जगन्नाथ जगत्‌ सुप्तं भवेदिदम्‌॥'
'उत्थिते चेष्टते सर्वमुत्तिष्ठोत्तिष्ठ माधव।
गतामेघा वियच्चैव निर्मलं निर्मलादिशः॥'
'शारदानि च पुष्पाणि गृहाण मम केशव।'


આ રીતે કરો વ્રત-પૂજન-
 * પૂજન માટે ભગવાનનું મંદિર અથવા સિંહાસનને જુદીજુદી રીતે પત્ર, ફૂલ, પુષ્પ અને વંદનવાર વગેરેથી શણગારો.

*આગણાંમાં દેવોત્થાનની છબી લગાવવી, ત્યારબાદ ફળ, પકવાન, શેરડી વગેરે ચઢાવીને ઢાકી દેવું તથા દીવો પ્રગટાવવો.
* વિષ્ણુ પૂજા કે પંચદેવ પૂજા કરીને દીવો, કપૂર વગેરેથી આરતી કરવી.
* બાદમાં આ મંત્ર વડે પુષ્પાંજલિ અર્પણ કરો.

'यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन।
तेह नाकं महिमानः सचन्त यत्र पूर्वे साध्याः सन्तिदेवाः॥'

બાદમાં આ મંત્રથી પ્રાર્થના કરો: -

'इयं तु द्वादशी देव प्रबोधाय विनिर्मिता।
त्वयैव सर्वलोकानां हितार्थ शेषशायिना॥'
इदं व्रतं मया देव कृतं प्रीत्यै तव प्रभो।
न्यूनं सम्पूर्णतां यातु त्वत्प्रसादाज्जनार्दन॥'

સાથે સાથે પ્રહલાદ, નારદ, પરાશર, પુણ્ડરિક, વ્યાસ, શુક ભક્તોનું સ્મરણ કરીને ચરણામૃત, પંચામૃત પ્રસાદ વિતરણ કરો. બાદમાં એક રથમાં ભગવાનને વિરાજમાન કરીને જાતે ખેંચો ભગવાન વિષ્ણુ યોગનિદ્વાનો ત્યાગ કરીને તમામ પ્રકારની ક્રિયાઓ કરવા સક્રિય થઈ જાય છે. અંતમાં કતા શ્રવણ કરીને પ્રસાદનું વિતરણ કરવું.

No comments:

Post a Comment