Sunday, October 14, 2012

આ નવરાત્રિમાં 27 વર્ષે રચાયો છે, એક દિવ્ય અદભુત સંયોગ!

ઉજ્જૈન, તા. 14

હિન્દુ ધર્મના પ્રાચીન વેદ-શાસ્ત્રો સાક્ષી છે કે જ્યારે કોઈ આસુરી શક્તિઓએ અત્યાચાર કરીને માનવ જીવનને હાનિ પહોંચાડવાનો પ્રય્તન કર્યો છે ત્યારે ત્યારે કોઈ દૈવીય શક્તિઓનું અવતરણ થયું છે. આ પ્રકાર જ્યારે મહિષાસુરાદિ દૈત્યોના અત્યાચારથી ભૂદેવ લોક હાહાકાર કરી ઊઠ્યો ત્યારે પરમ પિતા પરમેશ્વની પ્રેરણાથી તમામ દેવગણોએ એક અદભુત શક્તિનું સર્જન કર્યું જે આદિ શક્તિ મા જગદંબાના નામથી સંપૂર્મ બ્રહ્માંડમાં વ્યાપ્ત થઈ. આ આદિ શક્તિએ મહિષાસુરાદિ દૈત્યોનો વધ કરીને ભૂદેવ લોકોમાં ફરીથી પ્રાણ શક્તિ અને રક્ષા શક્તિનો સંચાર કર્યો.

નવરાત્રીનો અર્થ જ થાય છે 'નવરાત'. હિન્દુ ધર્માનુસાર આ પર્વ વર્ષમાં બે વાર આવે છે. એક ચૈત્ર માસમાં અને બીજું આસો માસમાં. આ પર્વ દરમિયાન ત્રણ મુખ્ય હિન્દુ દેવીઓ- પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીનાં નવ સ્વરૂપો શ્રી શૈલપુત્રી, શ્રી બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, શ્રી કૃષ્માંડા, શ્રી સ્કંદમાતા, શ્રી કાત્યાયની, શ્રી કાલરાત્રિ, શ્રી મહાગૌરી, શ્રી સિદ્ધિદાત્રિનું પૂજન વિધિ વિધાનથી કરવામાં આવે છે. જેને નવદુર્ગા કહેવાય છે.

પરમ કૃપા પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ ભારતમાં નવરાત્રિનું પર્વ ભારે શ્રદ્ધા, ભક્તિ અને હર્ષોલ્લાસની સાથે મનાવાય છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 16 ઑક્ટોબરના આસો સુદ શુક્લ પક્ષના પડવાથી શરૂ થશે. આ પાવન દિવસે સ્વાતિ નક્ષત્ર, વિષ્કુમ્ભ યોગ હશે. પ્રતિપદા તિથિના દિવસે શારદીય નવરાત્રિનું પહેલું નોરતું હશે. માતાજી પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખનાર વ્યકિતઓ માટે આ દિવસ ખાસ રહેશે.

આ વખતે 34 વર્ષ પછી નવરાત્રિ પર અદભુત સંયોગ બની રહ્યો છે. આ પછી આવો સંયોગ 27 વર્ષ પછી બનશે. જેથી આ આસો નવરાત્રિ પ્રસન્નતાની સાથે આદ્યાત્મિક શાંતિ લાવશે. આ નવરાત્રિમાં મંગળવારના રોજ નોરતા શરૂ થઈને મંગળવારે જ સમાપ્ત થશે. આવો સંયોગ આજથી 34 વર્ષ પહેલાં ત્રીજી ઑક્ટોબરે થયો હતો. જો કે આ નવના સ્થાને 8 દિવસ મા ભગવતીની આરાધના માટે મળશે. આ મંગળવારે નવરાત્રિનો મંગળ કળશની સ્થાપના થશે. 23 ઑક્ટોબરે મંગળવારના રોજ નવરાત્રિ પૂર્ણ થશે.

મનોકામના પૂર્ણ કરનારી ગુપ્ત નવરાત્રિ વિશે ખાસ જાણો
મા દુર્ગા નવ દિવસ માટે પૃથ્વી પર આવી રહી છે. આગામી 28 જૂનથી માતા પરત ફરી રહી છે. વર્ષમાં આવું ચાર વખત થાય છે જ્યારે માતા પૃથ્વી પર પોતાના ભ...

No comments:

Post a Comment